પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
24
મહાત્મા

તાપી-તીરની છાવણીમાં પુરાયેલો નવો ગુપ્તચર વહેલી પરોડે ઊઠી ગયો. શૌચસ્નાન નિમિત્તે એ દૂર અરણ્યમાં ચાલ્યો. ત્યાં એણે એક પુરાતન શિવાલય દીઠું. અંદર કોઈ નહોતું. ત્યાં ઊભીને એણે પહો ફાટતાં માળવાના માર્ગ પર દ્રષ્ટિ લંબાવી. એ માર્ગેથી કોઈના આવવાની એને રાહ હતી. પણ દિવસ પછી દિવસ કોઈના આવ્યા વગર વીતવા લાગ્યા. એ સુવેગ હતો.

ગુજરાત ઉપર આવતું યવન-સૈન્ય ગુજરાતના સીમાડાથી હવે કેટલે દૂર રહ્યું છે, તે પ્રશ્ન સુવેગને સિંઘણદેવ રોજ રોજ પૂછતા હતા અને સુવેગ એ સૈન્ય રોજ રોજ નજીક આવી રહ્યું હોવાની વધામણી આપતો હતો.

લાટનો સંગ્રામસિંહ પણ સુવેગની ચાતુરીનો સહજ શિકાર બની ગયો હતો. શરૂઆતમાં જ્યારે સંગ્રામસિંહે સિંઘણદેવ પાસે આવીને ચડાઈની ઉતાવળ કરવા માંડી ત્યારે જ એને પાછા જવું પડ્યું હતું. સુવેગે જોઈ લીધું હતું કે દેવગિરિનો સિંઘણદેવ મોં પરથી જેટલો દેખાતો હતો તેટલો બુદ્ધિથી સંસ્કારી નહોતો. વારંવાર એના હાથ એની મૂછના આંકડા પર જતા હતા, અને વારંવાર એ પોતાની ભુજા પર પંજા પછાડતો હતો. એટલે સુવેગને સહેલાઈથી ખાતરી થઈ ગઈ હતી કે દેવગિરિના આ યાદવરાજો પોતાને ઘરઆંગણે ભલે પંડિતોને અને કવિતાકારોને, શાસ્ત્રજ્ઞોને અને સાહિત્યકારોને પોષતા, પોતાના રાજ્યની બહાર તો તેઓ પર પ્રાંતની પ્રજાની લક્ષ્મીના અને સંપત્તિના લૂંટારાઓ તરીકે જ લશ્કરો ચલાવતા હતા.

એટલે સિંઘણદેવના ફૂલણજીપણાને પંપાળવાની અને સંગ્રામસિંહ ઉપર સિંઘણદેવનો અસંસ્કારી કોપ ઉશ્કેરવાની જુક્તિ સુવેગ તત્કાળ રમાડવા લાગ્યો. સંગ્રામસિંહની બુદ્ધિહીનતા સાબિત કરવામાં સુવેગને સિંઘણદેવ પાસે ઝાઝી વાર લાગી નહીં. અને મૂર્ખ સિંઘણદેવ પોતાના કરતાં બીજો રાજા વધુ મૂર્ખ સાબિત થયો જોઈને સુવેગ ઉપર વધુ તુષ્ટમાન થયો.

આઠેક દિવસે સુવેગે જોયું કે ઝાડીની અંદરનું પેલું ભાંગેલું નિર્જન મંદિર વસ્તીવાળું બન્યું હતું. એક અવધૂત અને ખોખરધજ યોગી એ દેવળમાં દિવસરાત