પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
42
ગુજરાતનો જય
 

હતાં.

"જાણજો, દેવ !” વૃદ્ધ સાધુનો એ છેલ્લો બોલ હતો, "કે મારા જ છોકરા આપને ભળે છે. રાણા લવણપ્રસાદને મારા વતી ધર્મલાભ દેજો. કહેજો કે મળ્યા તો નથી, સાંભળ્યું છે ઘણું ઘણું, મહારુદ્રના એ ભક્તનું કલ્યાણ ભાવતો ભાવતો મરું છું.”

તે પછી થોડા દિવસે ગુરુ હરિભદ્રસૂરિના મૃતદેહની સ્મશાનયાત્રા નીકળી ત્યારે એની માંડવીના એક ખૂણે કુમારદેવનો જનોઈધારી ખંભો ટેકવાયો હતો ને એની આંખોમાં અશ્રુધારા હતી. પુત્ર સોમદેવના હાથમાં ઝાલર હતી.

પાટણ જાણે એક મહાપાપનું પ્રાયશ્ચિત્ત કરતું હતું.