પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
દુનિયાંને આપેલો ભોગ.

“જો લાલાજી ! આટલું કર, એમાં તારૂં જાન જવાનું નથી. તારો જવાબ આપવા ઠરાવેલો વખત વીતી જવા દે. જ્યાં ત્યાં છે તે એક રાતનોજ આંતરો ? ગુલાબસિંહ જોઈએ શું કરે છે. એ કહે છે કે તું ગમે ત્યાં હોઇશ ત્યાં પણ તેને આવતી કાલની મધ્યરાત્રી પહેલાં હું મળીશ, તો ઠીક છે, ચાલને આપણે દીલ્હી મૂકીનેજ રસ્તો માપીએ. એને એમ તો બતાવી આપવુંજ જોઈએ કે તું જાતે જે વાત ઈચ્છે છે તેમાં પણ વગર વિચારે ઝંપલાવવા રાજી નથી. કાલના દિવસ પછી તારે ફાવે તો એને લખજે, મળજે, ગમે તે કરજે, પણ આ બે રાતો તો જવા દે. હું માત્ર આટલુંજ માગું છું.”

લાલો આ સાંભળીને જરા ઠેકાણે આવ્યો. પ્રેમના તરંગે ચઢ્યો હતો ત્યાંથી જરા હેઠો બેઠો. એના મિત્રની તકરારો એને વાજબી લાગી, નિરુત્તર બની ગયો. પોતાને ખાતરી તો થઈ નહિ, પણ શંકા થઈ ખરી. અધુરામાં પૂરૂં કરવા એજ વેળે બંદો પણ ત્યાં આવી ચઢ્યો, લાલાને જોતાંજ બોલ્યો “કેમ હજી પણ પેલી સરદારની છોકરી ઉપર તમારૂં ધ્યાન ને કે ?”

“કેમ ? તમે કેમ છો ?”

“એને મળ્યો, ને બધી વાતચીત પણ કરી. આવતે આઠમે દહાડે તો એને તમે બંદેહુસેનની બીબી થયેલી જોશો. તમારા પેલા ગુલાબસિંહને કહેજો કે બંદાના કામમાં તે બે વખત આડો આવ્યો છે, એમાં માલ નહિ. બંદો ખરો શાહુકાર છે, ને વ્યાજ સુદ્ધાંત મુદ્દલ પાછું વાળવા ચૂકે તેવો નથી.”

“વહેવારમાં એ વાત ઠીક છે.” રામલાલે કહ્યું “કોઈના અપકાર માટે અપકાર કરવો એમાં તો એ વાત ઠીક નથી, વાજબીએ નથી. ગુલાબસિંહ તમારા લગ્નની વાતમાં આડો આવેલો કે કાંઈ બીજામાં ? તમારૂં કામ તો આટલે બધે આવ્યું છે, ત્યારે એણે શું બગાડ્યું હોય ?”

“એ તો માને જ પૂછજો ને એટલે સમજાશે. ઓહો, લાલાજી ! તમારા આગળ એ મહોટી સતીને સાધ્વી થાય છે. અરે, બા ! પણ આપણે એમાં કાંઈ નથી; તમે પણ જે થાય તે કરી લો ને. ચાલો અત્યારે રામરામ.”

“ઓ અક્કલના દુશ્મન !” રામલાલે લાલાને ધપ્પો મારીને કહ્યું “જરા ડાહ્યો થા. બોલ હવે તારી માનું તે શું ધાર્યું ?”