પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
સિદ્ધિનો પ્રેમમાં લય.

માના હૃદયમાં જે હર્ષ ઉભરાઈ ગયો; સાભિમાન, સંપૂર્ણ, સિદ્ધ, સમગ્ન, હર્ષ ઉભરાઈ ગયો તેનું ચિત્ર આપવાને વાણી અસમર્થ છે. જેને પ્રેમથી પણ અસ્પર્શ્ય ધાર્યો હતો — તેજ અલ્પસ્વલ્પ તિરસ્કારની દૃષ્ટિએ દૂર કરેલા બીજાનાથી પણ અધિક નમ્ર ! જેમ જેમ એ વિચાર વિશેષ વિસ્તરતો ગયો, જેમ જેમ એને એમ લાગ્યું કે અલૌકિક આત્મભાવ ઉપર માનુષી પ્રેમભાવે જય મેળવ્યો, તેમ તેમ એ સંકુચિત અને શરમાલ બની જઈ સ્થિર થઈ રહી. લાલાને જે પ્રશ્ન એણે નિઃશંક કર્યો હતો તેની સૂચના સરખી પણ કરવાની આ પ્રસંગે એને હીંમત ન આવી; તો પણ એકાએક એના હૃદયમાં શૂન્યતાનો ભાસ પડી ગયો, ને એને એમ લાગી ગયું કે હજી પ્રેમમાં કાંઈક પટાંતર છે ખરો. નીચી નજર રાખી ધીમેથી બોલી “ગુલાબસિંહ ! તારી સાથે નાશી જવાનું મને ના કહે; મારી આબરૂ ન વગોવાવ, તું મને બીજા ભયમાંથી બચાવે છે, પણ તારા પોતાથીજ બચાવ.”

“નિર્દોષ બાલા !” એણે સપ્રેમ વચને કહ્યું “તું એમ ધારે છે કે હું તારી પાસેથી એ એક ભોગ માગીશ ? — સ્ત્રીનું મહોટામાં મહોટું ને છેલામાં છેલું ભૂષણ ખુંચવી લેઈશ ? મારી અર્ધાંગના તરીકે હું તારો પ્રેમ યાચું છું; જે વચન અને જે શપથથી એ પ્રેમ પવિત્ર થાય, જે દેવતાની સાક્ષીથી એમાં દિવ્યત્વ આવે, તે સર્વથી હું તને યાચું છું. અરેરે ! જેમણે તને પ્રેમની વાત કરી છે તેમણે તને જો પ્રેમ સમજાવ્યો છે, નહિ તો તું પ્રેમની સાથે જે પ્રેમનો ધર્મ છે તે પણ કેમ સમજતી ન હોય ! જે ખરે પ્રેમ સમજે છે તે તો પ્રેમથી જે અમૂલ્ય રત્ન તેઓ પામે તેને નિત્ય અને નિર્ભય કરવા ચૂકેજ નહિ. રમા ! અમ્રપાન ન કરે; જ્યાં સુધી એ અશ્રુ મારા મુખથી સૂકવી નાખવાનો મને હક ન મળે ત્યાં સુધી તો નહિજ.”

આ વચન નીકળતાની સાથેજ, એ રમ્ય વદન, પાછું ન ખેંચાતાં એની છાતી ઉપર ઢળ્યું; અને એના અધરે અધરનું આલિંગન લીધું; –પ્રેમોષ્માંથી તપી જતું એક દીર્ઘ ચુંબન થયું — અને ભય — જીવિત — દુનીયાં — બધું — વીસરી જવાયું. એકાએકજ ગુલાબસિંહ માને દૂર ખશેડી અળગો ઉભો.

“આ વાયુ ગદ્‌ગદ્‌ રુદન કરતો શમી જાય છે તે સાંભળે છે ! એનીજ પેઠે, તને રક્ષવાની, તને ઉગારવાની, તારા ભવિષ્યરૂપી આકાશમાંનું તોફાન આગળથી સમજવાની, મારી શક્તિ જાય છે. ફીકર નહિ. ત્વરા કર. પ્રેમે