પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલાબસિંહ.

પ્રકરણ ૨ જું.

રમા રાસધારીઓમાં.

માની કેળવણી હવે પૂરી થઇ રહેવા આવી છે; એની ઉમર પણ ખીલતી સોળ વર્ષની જુવાનીએ પહોંચી ચૂકી છે ! જે અમીરે તેના ગાન ઉપર મોહિત થઈ તેને શિક્ષા અપાવી કેળવી હતી તે પણ કહેવા લાગ્યો છે કે સરસ્વતીની ઉપાસના કરીને અમર થયેલા મહાત્માઓનાં નામ ભેગું આ નામ પણ કીર્તિની અમર કિતાબમાં સોનેરી અક્ષરે લખી દેવાનો પ્રસંગ હવે આવી ચૂકેલો છે; શંશયમાત્ર એટલોજ રહ્યો છે કે તે નામ કયે રૂપે પ્રકાસશે, એ નામવાળી કોની કલ્પનાઓનાં ચિત્રને સજીવ કરી બતાવશે. એજ વાત શોખીન લોકોમાં જ્યાં ત્યાં ચરચાઇ રહી છે, કવિઓ ઠામ ઠામ પોતાના મનમાં, પ્રસિદ્ધિ પામવાની લાલસાથી, આતુર થઈ કોને ગળે વરમાલ પડશે એમ જોતા બેઠા છે ! ગામમાં વાતો ઉપર વાતો ચાલી રહી છે. કોઈ કહે છે કે રાજકવિ ચંદ, એ બાલકીએ પોતાના બે રાસ ભજવી બતાવ્યા તે જોઈ એટલો પ્રસન્ન થઈ ગયો છે કે, એકાદ ત્રીજો પણ આ પ્રસંગ માટે રચી ક્‌હાડશે. કોઈ કહે છે કે એવા વીરરસના કાવ્ય કરતાં એ શૃંગાર અને કરુણારસ ભજવવામાં ઘણી પ્રવીણ છે તેથી પ્રસિદ્ધ કવી રામદાસજી પોતાની કલમ એક પલ પણ હેઠી મૂકતા નથી. પણ આવી રીતે જે ખટપટ ચાલી રહી હતી તે એકાએક ઠંડી પડી ગઈ. જે અમીર રમાને મદદ કરનાર હતો તેનો મિજાજ બગડી ગયેલો જણાવા લાગ્યો. તેણે લોકો વચ્ચે કહ્યું – આમ કહેવું એ કાંઈ લોકના મનમાં નાની સૂની વાત ન હતી – કે “એ બેવકુફ છોકરી એના બાપ જેવીજ અક્કલ વિનાની છે. એ જે માગે છે તે કેવું ઉંધુ છે !” એને સમજવા માટે ઉપરા ઉપરિ મિજલસો ભરાતી ચાલી; અમીર તેને ખાનગી રીતે બોલાવીને પણ ઘણી ગંભીરાઈથી કહી ચૂક્યો – પણ બધું ફોકટ ! આખા દીલ્હી શહેરના લોક ઘણા આતુર થઇને જાત જાતનાં અનુમાન કરવા લાગ્યા. પણ અમીરે જે ભાષણ માને આપ્યું તેનો પરિણામ તો તકરારમાં આવ્યો; મા ઘણી નાઉમેદ અને નિરાશ થઈ ચીડાતી ચીડાતી ઘેર ગઈ, ને બોલવા લાગી કે “હું હવે રાસભૂમિ ઉપર જનાર નથી, અમીરની સાથેના કરારથી હું બંધાયલી નથી.”