પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
ગુલાબસિંહ.

પ્રકરણ ૨ જું.

નીચની નીચતા.

લાલાજીએ આ પ્રકારે જે કહ્યું તેની ઉદારતા અને ઉચ્ચતાથી તથા લાલાજીના મોઢા ઉપર ને આખી આકૃતિ ઉપર જે ક્ષત્રિયધર્મનું તેજ છવાયું હતું તેથી, બંદો જરા ભય પામી ગયો, અને બોલતો બંધ થઈ ગયો. એને તુરતજ એમ લાગ્યું કે આ માણસની મેં બરાબર કીંમત કરી નથી.

આ સમયે પેલી ગોપિકા એક ખૂણામાં રીસાઈને બેઠી હતી ત્યાંથી આગળ આવી બોલી કે “તમે કહો છો તે બધી વાત ખોટી છે; તમારા ભાઈ તો એ કરતાં પણ વધારે સારો માર્ગ નક્કી કરીને બેઠા છે; અને તમે તમારાં લાગ્યાં ભોગવો એમ એમની મરજી છે. એમની ધારણા ખરી છે, પણ—”

“નાશી જશો !” બંદાએ આશ્ચર્યથી કહ્યું “શી રીતે ? – કીયે રસ્તે – કેવી રીતે ? દિલ્હી શહેરની ચારે પાસે એવા ચોકીદાર અને બાતમીદાર ફરે છે કે એક કીડી પણ બહાર કે અંદર જઈ શકે એમ નથી. નાશી જવું ! ખુદા એ વખત આપે ?”

“ત્યારે બંદા ! તું પણ આવા આનંદના સમયને છોડીને નાશી જવા ઈચ્છે છે !”

“ઈચ્છુંછું !” બંદાએ લાલાજીને પગે પડી વિનતિ કરી “તારી સાથે મને પણ ઉગાર. મારૂં જીવવું મુવા સરખુ છે; એક ક્ષણ પણ હું જલ્લાદની તરવાર મારી ગરદનથી દૂર દેખતો નથી. મને એમ લાગે છે કે મારૂં આવી બન્યું છે, પેલે કિરુદ્દીન મારું નામ પોતાની યાદીમાં દાખલ કરવાની રાહ જુએ છે, પણ એક વાર દાખલ થયું તે પછી કાફુર કાજી તો એટલુંજ માગે છે. લાલાજી ! આપણી જૂની દોસ્તી યાદ લાવીને, આપણે એક ધંધાવાળા છીએ તે ઉપર નજર રાખીને, તારી ક્ષત્રિયવટને અનુસરીને, મને પણ તારી સાથે લેઇ જા.”

“એવી જ તારી મરજી હોય તો ભલે આવજે.”

“ધન્ય છે ! હું જીવતા સુધી તારો ઉપકાર ભુલનાર નથી, પણ ભાઈ ! શાં સાધનો તમે તૈયાર કર્યાં છે ? રજાચીઠી, વેષ બદલવાનો સામાન —”