પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘હિન્દ સ્વરાજ’ના અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના લખતાં મહાત્માજીએ એક ગ્રામ્ય શબ્દ સુધારી લેવાની તક લીધી છે:

‘આ વખતે આ એમ ને એમ પ્રકાશિત કરવું આવશ્યક સમજું છું. પણ જો આમાં મારે કંઈ પણ સુધારવા જેવું હોય તે એક શબ્દ હું સુધારવા ઈચ્છું છું. એક અંગ્રેજ મિત્રને તે બદલવાનું મેં વચન આપ્યું છે. મેં પાર્લામેન્ટને વેશ્યા કહી છે. તે એ અંગ્રેજ બાનુને નાપસંદ છે. તેમનું કોમળ દિલ આ શબ્દના ગ્રામ્ય ભાવથી દુખાયું હતું.’

(ઈ. સ. ૧૯ર૧)
 

૨૧૭