પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯]


માગે છે. આ કલાસ્વરૂપમાં શિલ્પીઓએ કઈ વસ્તુ કયાં મૂલ્યો, કયાં અંતસ્તત્ત્વો અને વાસ્તવને વ્યક્ત કર્યાં છે અને તે દ્વારા જીવનની અનુભૂતિઓને કેટલી અને કેવી રીતે સમૃદ્ધ કરી છે તેની સાત્વિક છણાવટ હવે જરૂરી બની છે.

ટૂંકી વાર્તા એ અન્ય કલાપ્રકારથી નોખો કલાપ્રકાર છે. આ ક્લાસ્વરૂપે કેવા આકાર લીધા, કેટલું વૈવિધ્ય વિકસાવ્યું, કથનશૈલીમાં તેણે કેટલો વૈભવ આણ્યો અને તે કોણે અને કયાં કારણોએ, તેનું અવલોકન હવે આવશ્યક બન્યું છે.

આ કલાપ્રકારનું અને આ કલાપ્રકારને ખીલવનારા કલા- સ્વામીઓનું સાચું વિશ્લેષણ અને સાચું સ્થાન આ રીતનો અભ્યાસ કરવાથી જ નક્કી કરી શકીશું.

શ્રી મનસુખલાલ ઝવેરીનો મનનીય અગ્રલેખ તેમ જ શ્રી ગુલાબદાસ બ્રૉકરની “શ્રેષ્ઠ નવલિકાઓ”ની બે પ્રસ્તાવના ટૂંકી વાર્તાના પદ્ધતિસરના વર્ગીકરણ માટે ભૂમિકા બાંધવા યત્ન કરે છે. શ્રી મનસુખલાલ ઝવેરીના મત અનુસાર ટૂંકી વાર્તાનાં પાત્ર, ક્રિયા અને વાતાવરણ એ મુખ્ય અંગો; એ અંગોને ધ્યાનમાં લઈ તેઓ ટૂંકી વાર્તાઓને મુખ્યત્વે પાત્રપ્રધાન, ક્રિયાપ્રધાન અને વાતાવરણ પ્રધાન એવા ત્રણ વિભાગોમાં વહેંચી નાખવા સૂચન કરે છે. આ વર્ગીકરણ અણીશુદ્ધ તર્કબદ્ધ છે કે નહિ તેની ચર્ચામાં ઊતર્યા વગર તેને ઉપયોગી માળખા તરીકે સ્વીકારી ટૂંકી વાર્તાઓનું વિસ્તૃત્વ વર્ગીકરણ કરીશું તો પણ આપણે ટૂંકી વાર્તાના પદ્ધતિસરના અવલોકન માટે અને તુલનાત્મક વિવેચન માટે ભૂમિકા ઉપજાવી શકીશું.

નવલિકાનાં સિદ્ધહસ્ત સ્વામીઓનું પણ આ ઢબનું વિસ્તાર પૂર્વકનું વિવેચન જરૂરી બન્યું છે. Content-અંતસ્તત્ત્વ’’ અને “form–સ્વરૂપ”ની દ્રષ્ટિએ આ સર્વનો પદ્ધતિસરનો અભ્યાસ હવે આવશ્યક છે.