પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ શ્રેષ્ઠ ? શૂદ્ર?: ૯૫
 


વળગે એવા પોશાક તરફ તેમણે બીજી નજર પણ નાખી નહિ. તીખો રજપૂત તીખાશને છોડીને તુલાધારનાં પગરખાં વગરનાં પગલાં સામે જોઈ રહ્યો. અને ઠકરાણીની વિજયદષ્ટિ સામે ન જોતાં એ પગલાંને બે હાથે નમન કર્યું.

ક્ષત્રિય કરતાં શૂદ્ર ક્ષત્રિયના જ હૃદયમાં ઊંચા આસને બેઠો.

અઠવાડિયા પછી તુલાધારે ત્રીજો ચમત્કાર એ જ સ્થળે જોયો. પ્રત્યેક ગ્રામવાસી કરતાં વહેલા ઊઠી નર્મદાસ્નાન કરનાર તુલાધારે એ પ્રભાતે તે ચકિત થઈને થોડીક ક્ષણ સુધી વૃક્ષને નિહાળ્યું પણ ખરું. વૃક્ષ ઉપર સુવર્ણ ફળ અસંખ્ય લટકી રહ્યાં હતાં.

“આ સ્થળે શો ચમત્કાર થાય છે?...કોને માટે આ ચમત્કાર થાય છે ?...પ્રભુ કોઈને કાંઈ આપી રહ્યો છે ? કે તાવી રહ્યો છે ?... એક દિવસ પકવાન, બીજે દિવસે પોશાક અને ત્રીજે દિવસે સુવર્ણ ફળ ! ...પ્રભુ ગામને આબાદી આપવા ઊતરતો દેખાય છે ! પ્રભુનાં આવાં પગલાં આ ગામે નિત્ય ઊતરો !'

તુલાધારના મનમાં આવા વિચારો આજે ઊભરાઈ રહ્યા. રોજ કરતાં મંદિર પાસે તેઓ વધારે વાર ઊભા રહ્યા. ખાતરી કરવા માટે બીજી વાર સુવર્ણફળ તરફ દૃષ્ટિ કરી પણ ખરી. પરંતુ એ દષ્ટિમાં ન લોભ હતો, ન તૃષ્ણ હતી, ન આશા હતી. પ્રભુએ આ બધી વસ્તુઓ મૂકી હોય તોપણ પોતાને માટે મૂકી છે એવો ક્ષણભર પણ તેમને અંદેશો સુદ્ધાં આવ્યો નહિ. અને પ્રભુને સ્મરતાં, પ્રભુને પોતાના હૃદયમાં વધારે પ્રકટ કરતાં, પ્રભુમાં વધારે ને વધારે ઊંડા ઊતરતાં. ચમત્કારને પોતાના હૃદયમાં છૂપો રાખી, તેઓ ઝૂંપડીએ પહોંચ્યા અને આઠે પહોર ખાધાપીધા વગર ભજન કીર્તન જ કર્યા કર્યું. તુલાધારનાં પત્ની અને તેમના ભક્તોને તો એમ જ લાગ્યું કે તુલાધારને તે દિવસે કાંઈ પ્રભુનાં ચમત્કાર ભર્યાં દર્શન થયાં જ હતાં, કારણ તુલાધારની સતત કિર્તનભક્તિમં પ્રભુનાં પ્રત્યક્ષ, દર્શનની જ ભાવના ઊભરાઈ રહી હતી.

ચમત્કારના ઉકેલની ભક્તને પરવા ન હતી ચમત્કાર હોય કે