પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭ : હીરાની ચમક
 


તેમની પુષ્પભક્તિ હવે એવી તો સો ટચ બની રહી કે એ યુગની દુનિયા તેમને પ્રભુની વૈજયંતીમાલાનો અવતાર માનવા લાગી.

ભક્તિમાં – સાચી ભક્તિમાં – પ્રભુભક્તિનું અહં પણ રહેવા ન દે. કેવળ પ્રભુકૃપા ઉપર જીવનને છોડી મૂક્યા સિવાય ભક્તિ પણ અધૂરી રહે છે.