તો હવે મારે માટે નહિ જ ને ?’ સંધ્યાએ પૂછ્યું.
‘દેહ બદલવો પડશે, દીકરી !’
‘એ પણ એક સરસ રમત છે, નહિ પ્રભુ ! કામ રહિત અવસ્થામાંથી કામ કેમ પ્રગટ થાય છે તેનો અભ્યાસ કરતી હું મારા મનમાન્યા પતિને મેળવું અને સતત પતિસમોવડી બની પતિ સાથે જ સ્થાન પ્રાપ્ત કરું એવી મનેકામના પૂર્ણ કરો.’
‘તથાસ્તુ, સંધ્યા ! ચંદ્રભાગાને તીરે એક મહા તપસ્વી મેધાતિથિ બાર વર્ષથી જ્યોતિષ્હોમ યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞના ફળરૂપે હું તને એની પુત્રીનો અવતાર આપું છું. એ જીવનમાં તારી મનેકામના પૂર્ણ થશે.’ એટલું કહી પ્રભુ અદૃશ્ય થયા. સંધ્યાએ પોતાને દેહ છોડ્યો કે સદેહે યજ્ઞકુંડમાંથી પુત્રી રૂપે પ્રગટ થઈ, એનો ખ્યાલ અરુંધતીને સ્પષ્ટ ન હતો. પરંતુ અરુંધતીના પિતા મેઘાતિથિ તેને વારંવાર ‘યજ્ઞની પરમ પ્રસાદી’ તરીકે ઓળખવતા હતા, એટલે ધીમે ધીમે તેના મનમાં એ વાત તો દૃઢ જ બનતી ચાલી કે એ યજ્ઞકુંડમાંથી અવતરી છે.
પ્રત્યેક માનવજન્મ અગ્નિકુંડનો જ આવિર્ભાવ નહિ હોય એમ કોણે કહ્યું?
એ જે હોય તે, અરુંધતીને પોતાના પૂર્વજન્મનો આખો ખ્યાલ આવી ઢબે એક જ ક્ષણે અને એક જ દિવસે આવ્યો હોય એમ તો અરુંધતી પણ માનતી ન હતી. એના જીવન ટુકડા ભેગા કરતાં કરતાં તેને પૂર્વજન્મની આ ઢબે સ્મૃતિ જાગી હતી.
૨
બાર બાર વર્ષ સુધી સળંગ યજ્ઞ કરના મેધાતિથિ એક સમર્થ મુનિ હતા, અને નાનકડી અરુંધતીનું અપૂર્વ વાત્સલ્યથી લાલન પાલન કરતા હતા. અરુંધતીને માતા હતી કે નહિ તે યાદ જ આવતું નહિ. યજ્ઞકુંડમાંથી યજ્ઞનારાયણના આશીર્વાદરૂપે અર્પણ થએલી અરુન્ધતીને જન્મ પામવા માટે માતાની જરૂર હોય કે નહિ તેનો ખ્યાલ