પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૭]


ગુજરાત નવું ચૈતન્ય અનુભવવા માંડ્યું. આ સર્વની અસર તળે ઊર્મિના નવા પ્રકારના ઝરા વહેવા માંડ્યા, કલ્પના નવા સ્વાંગ સજી ઉડ્ડયન કરવા માંડી. ઊર્મિ અમે કલ્પનાજીવનની આ ભૂમિકા ઉપર વર્તમાન સાહિત્ય અને કલા રચાવા લાગ્યાં. વિવિધ યુગોમાં વિવિધ સાહિત્ય અને કલાસ્વરૂપ ખીલવા માંડ્યાં.

આ ખૂબ જ ઝડપી જીવનપરિવર્તનને પ્રતિબિંબિત કરવાનું કાર્ય સાહિત્યનું. પછી તે કાવ્યરૂપે, વાર્તારૂપે, નાટકરૂપે, નિબંધરૂપે કે નવલકથારૂપે પ્રતિબિંબ પાડે. વિવિધ વર્ગોની ઊર્મિઓ, અનુભૂતિઓ અને દર્શન પણ જુદાં. સાહિત્યકાર પણ આખરે તો સામાજિક માનવી છે. તેની ઊર્મિ, તેનાં ઉડ્ડયનો, તેનાં મૂલ્યો અને તેની કલ્યાણભાવના પણ તે કયા વર્ગમાંથી આવે છે, કયા વર્ગોનાં હિતો વ્યક્ત કરે છે અને કયા પ્રકારનું તાત્વિક દર્શન ધરાવે છે તેના ઉપર જ આધાર રાખે છે.

બેલીન્સ્કી, પ્લેખેનૉફ, ટ્રોટ્સ્સ્કી , કૉડવેલ, થોમસન, લ્યુકાસ, ફૉક્સ, હાવર્ડ ફાસ્ટ, ફિંકલ્ટન, હાઉસોફર ડંકન અને બીજા ઘણાં રસશાસ્ત્રના મીમાંસકો આ સત્ય ઉપર આપણું ખાસ ધ્યાન દોરે છે. સાહિત્યકારનું સાચું સામર્થ્ય આ વાસ્તવને ઊર્મિ અને કલ્પના દ્વાર વ્યક્ત કરવાની તેની શક્તિ ઉપર જ આધાર રાખે છે.

ટૂંકી વાર્તા પણ દરેક કલાપ્રકારની માફક content- અંતસ્તત્ત્વ રહસ્ય કે વસ્તુ, અને form–આકાર, સ્વરૂપ-ની બનેલી હોય છે. સ્વરૂપ વસ્તુને પુષ્ટ કરે છે અને વસ્તુ સ્વરૂપને ઘડે છે.

કલાકાર સીધા પ્રચારક કરતાં વસ્તુને જુદી ઢબે રજૂ કરે છે. તે સીધી બુદ્ધિને સ્પર્શવાને બદલે તે જ વસ્તુમાંથી નિષ્પન્ન થતાં ઊર્મિ, ભાવના, લાગણી અને કલ્પનાનાં સપ્તકોને ઝણઝણાવી ઊર્મિ અગર કલ્પનાનાં બિમ્બો ખડાં કરી તે ઘટનાને વાચક, શ્રોતા અગર દ્રષ્ટાના હૃદયમાં અંકિત કરે છે અને આ ઊર્મિ, ભાવના, લાગણી