પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો એકનોએક આશ્રય : ૬૫
 


જ્યારથી ધર્મનો આશ્રય લીધો ત્યારથી જ મારી આર્થિક સ્થિતિ સુધરી છે. એ પહેલાંનો હું વિચાર કરું છું ત્યારે એ યુગ મને અનેક પ્રકારની યાતનાભર્યો યુગ લાગે છે. એ યુગમાં પ્રામાણિકપણે નોકરી કરી. પણ એ પ્રામાણિકપણાની પ્રતિષ્ઠા મારા માલિકને મળી અને મારા પરિશ્રમનો લાભ એની મૂડીને મળ્યો. પ્રામાણિકપણાની સીમા વટાવીને કામ કરવાનું મને માલિકનું ફરમાન થતાં મેં તે ફરમાન માન્યું નહિ એટલે મારા માલિકને મારા કામમાં દોષ દેખાવા માંડ્યો. મારો પગાર ઘટતો ગયો અને મારી માંદી પત્નીની સારવાર માટે મને મળતા આછાપાતળા પગારની જ્યારે મને અનિવાર્ય જરૂર હતી તે વખતે જ મને રજા મળી. આમ પ્રામાણિકપણાના બદલામાં મને બેકારી મળી.

એક પાસ બેકારી અને બીજી પાસ પત્નીની માંદગી ! મને લાગ્યું કે પ્રભુ મારી કસોટી કરે છે. મારે મારા ચારિત્ર્યમાં કે મારા પ્રામાણિકપણામાં જરા પણ ખામી આવવા દેવી જોઈએ નહિ. એટલે બેકારી સામે અને પત્નીની માંદગી સામે નૈતિક યુદ્ધ આદરવાનો મેં ઠરાવ કર્યો. જ્યાં જ્યાં નોકરીઓ મળવા સંભવ હતો ત્યાં ત્યાં મેં અરજીઓ કરી અને મારા પ્રામાણિકપણા ઉપર મેં ખૂબ ભાર મૂક્યો. એકબે સારી પેઢીઓમાંથી મને મુલાકાતનાં આમંત્રણ પણ મળ્યાં. એ મારી મુલાકાતનો અનુભવ હું કદી ભૂલી શકું એમ નથી. એક પેઢીના માલિકે મારી મુલાકાત લેતાં મને પૂછ્યું : ‘તમે તમારી અરજીમાં તમારા પ્રામાણિકપણાનાં બહુ વખાણ કર્યા છે. બીજું બધું ઠીક છે, તમે પ્રામાણિક હો એમ હું ઈચ્છું છું. માત્ર હું એટલું પૂછવા માગું છું કે આ તમારું પ્રામાણિકપણું મારી પેઢીને કેવી રીતે લાભ કરાવી શકે એમ છે ?’

આ પ્રશ્ન જરા ગૂંચવણભર્યો હતો ખરો, પેઢીના કબજાનો માલ ખરેખર સારો હોય તો તો તેનાં હું વખાણ કરું, પણ જાહેરાતમાં