પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
૫૨
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


પ્રાથમિક કેળવણીના એ જેટલા હિમાયતી હતા તેટલાજ ઊંચી કેળવણીના પણ હતા. એ વખતના વાઇસરૉયની સભાના સભાસદ મિસ્ટર જે. ઇ. ડી. બેથ્યૂન સાહેબ ભારત લલનાઓના પણ હિતૈષી હતા. ભારત લલનાઓ માટેની ત્હેમની શુભેચ્છ અને એ શુભેચ્છાઓ પૂર્ણ કરવાને માટે જોઈતી ખંતની ત્હેમનામા કમી નહોતી. હજારો રૂપિયાનો પગાર મળાતો હતો. મ્હોટા ગવર્નર જનરલ સાહેબની વ્યવસ્થાપક સભાના સભાસદ હતા, પણ એમનો સ્વભાવ ઘણોજ સરળ હતો. ન્હાના છોકરાંની સાથે પણ એ એવી સાદાઈથી પ્રેમ પૂર્વક વાતચિત કરતા કે એ બાળકોનાં મનમાં જરા પણ સંકોચ નહોતો આવતો. જાણે પોતાના કોઈ સગાંસંબંધી જોડે વાત કરતાં હોય એવી રીત્યે નિષ્કપટતાથી બાળકો એમની સાથે વાતો કરતા. ત્હેમણે બંગાળી કન્યાઓને ઊંચું શિક્ષણ અપવાની હિલચાલ ઉપાડી. પણ જ્ય્હાં સૂધી આ દેશનોજ કોઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થ એમની પીઠ ઠોકનાર ન હોય ત્ય્હાં સૂધી એ કાર્ય બરોબર રીત્યે ઉપાડી શકાશે નહીં એમ એમને લાગ્યું. એવા ગૃહસ્થ પણ મળી આવ્યા. બંગ કન્યાઓના કલ્યાણને નિમિત્તે બેથ્યૂન સાહેબનો અને વિદ્યાસાગરનો મેળાપ થયો. એજ અરસામાં વિદ્યાસાગર મહાશયે હુગલી, ઢાકા, કૃષ્ણનગર અને હિન્દુ કૉલેજના સિનિયર ડિપાર્ટામેન્ટના વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે વિદ્યાર્થીઓ પાસે ‘સ્ત્રી કેળવણીની આવશ્યકતા’ એ વિષય ઉપર નિબંધ લખાવ્યો હતો અને સર્વોત્કૃષ્ટ નિબંધ લખનારને સોનાનો ચાંદ આપ્યો હતો. આ ઇનામ વિદ્યાસાગરે બેથ્યૂન સાહેબના હાથે અપાવ્યું હતું. અબે વેથ્યૂન સાહેબે એ મેળાવડામાં સ્ત્રી સંબંધી એક જુસ્સાદાર ભાષણ આપ્યું હતું. આ પ્રમાણે સ્ત્રી કેળવણીની હિલચાલ કરતાં, અને ત્હેને માટે અનેક સ્થળે અંગ્રેજી અને બંગાળી નિશાળો સ્થાપતાં, વિદ્યાસાગર અને બેથ્યૂન ઘાડા સમાગમમાં આવ્યા, અને એ મિત્રતા જીંદગીના છેલ્લા દિવસ સુધી વધતી જ ગઈ.

આ બન્ને મહાત્માઓએ બીજા કેટલાક ગૃહસ્થોને મદદથી છોકરીઓને