વધારવું પડશે તેમજ શાળા પોતે પણ પોતાના વિદ્યાર્થીઓ મારફતે થોડુંઘણું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી પડશે.
(ઈ) આધ્યાત્મિક ::-
જે રીતે વૃક્ષ પર ફળ લાગે છે ત્યારે વૃક્ષ નીચેની તરફ ઝૂકી પડે છે. એટલે કે તે ફળરૂપી સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી અન્યને આદર આપવાનું ચૂકયા વગર જે રીતે પોતાની નમ્રતાનો પરિચય કરાવે છે, તેવી જ રીતે શાળામાંથી શિક્ષણ મેળવનાર પ્રત્યેક વિદ્યાર્થી સૌ કોઇ સાથે આદર ભાવથી વર્તે, બીજાને સન્માન આપી, પોતે પણ સન્માનિત બને તેવું આધ્યાત્મિક શિક્ષણ શાળાના પ્રત્યેક શિક્ષક ભાઇ – બહેનોએ વિદ્યાર્થીને પૂરું પાડવું પડશે. જયાં સુધી વિદ્યાર્થીમાં શિસ્તના ગુણો શિક્ષક નિર્માણ કરી શકે નહિ ત્યાં સુધી વિદ્યાર્થીએ મેળવેલી ડિગ્રી અર્થપૂર્ણ બનતી નથી, તેથી વિદ્યાર્થીની આધ્યાત્મિક કેળવણી માટે સંસ્થાએ ખાસ ભાવાત્મક વાતાવરણ પ્રસ્થાપિત કરવું પડશે.
-:બદલાતા સમયમાં નવા અભિગમો અપનાવી સમાયોજન
સાધવાની તૈયારી:-
જેમ સમય વીતે છે તેમ વ્યકિતની જરૂરિયાત, લાક્ષણિકતાઓ ને સમાજના રીત રિવાજો બદલાય છે. આ બધી બાબતો સાથે સમાયોજન સાધવા શાળાએ અર્થાત્ શાળામાં કાર્યરત સૌ કોઇએ પરિવર્તનશીલ રહેવું પડશે, તો જ આપણી શાળા બદલાતા સમયમાં ટકી શકશે, પ્રગતિ કરી શકશે.
નૂતન પરિણામોનો સ્વીકાર અને સુધારણાને અવકાશ ::-
બદલાતી પરિસ્થિતિના પ્રત્યેક પડકારને સમજી નવા પરિણામોને સ્વીકારવા પડશે, તેમજ જરૂરી સુધારા - વધારા કરવા તૈયાર રહેવું પડશે તો જ શાળા વિકાસની કંડારેલી કેડી પર આગળ વધી મંજિલ સુધી પહોંચી શકાશે.
શાળા પ્રત્યે માતૃભાવ ::-
શાળાનાં પ્રત્યેક વિદ્યાર્થીએ શાળા સાથે માતૃભાવ કેળવી તેના લાલન-