પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૫
જયા-જયન્ત
 


જયા : સૌન્દર્યના શિકાર

વધવા માંડ્યા લાગે છે વિશ્વમાં.

તેજબા : હજી કલિયુગ તો આધે છે.

એ યુગના અન્ધકાર ઉતરશે
જગતના ચોકમાં,
ત્ય્હારે વદનના ચન્દ્ર
ને નયનની વીજળીઓ
વેચાશે કે લૂંટાશે ભરવસ્તીમા ય તે.

જયા : શરીર વેંચાય કે લૂંટાય,

પણ આત્મા યે વેચાતા હશે ?
સૌન્દર્ય દેહનાં કે દેહીનાં ?

તેજબા : સૌન્દર્ય આત્માનાં ય તે,

ને શરીરનાં ય તે.
ઉપવનમાંનાં ફૂલડાંની પેઠે;
માનવીનાં ઘાટ રંગ ને આત્મન્ ફૂવારા -
એ ત્રણેનો ભભકાર તે સૌન્દર્ય.
જેમ ફૂલડાંમાં ફોરમ,
તેમ સૌન્દર્યમાં આત્મપ્રભા.
વનફૂલ લેઇને આવતો પારધી આઘે દેખાય છે.
કુંવરી ! ચાલો ગુફામાં.
જૂઓ પારધી ઉતરે છે વનમાંથી.
(જયા કુમારી પળ વિચારે છે.)

જયા : ધીરશો ત્‍હમારાં ધનુષ્યબાણ ?