પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પ્રવેશ પાંચમો

સ્થલકાલ: તપશ્ચર્યાનું વન



ચાર દિશામાં ચાર ભસ્મના ઢગલાઓ વચ્ચે તપસ્વી જયન્ત બેઠો છે.

જયન્ત : ઉગ્ર તપ આદર્યાં,

પણ હજી અધૂરાં હશે.
નથી થતાં અખંડ દર્શન
નાથ ! તુજ પરમ તેજનાં.
વીજળીના દોરા જેવા
તણખા ચમકે છે અન્તરના આભમાં;
પણ બ્રહ્મજ્યોતિનો મહાભાસ્કર
નથી પેખાતો અનસ્તપણે.
એટલો અધૂરો છે હજી
આત્મા ને પરમાત્માનો યોગ.
ભાવની ભરતીઓ આવે છે,
પણ ચિરસ્થાયી નથી તે.