આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
જયા-જયન્ત
રાજરાણી: સજોડે તીર્થ ન્હાય
- ત્હેને દર્શન થાય દિલવાસીનાં.
ગિરિરાજ: નહીં તો શુકદેવ સમા બ્રહ્મર્ષિ
- તો દાખવશે જ દેવલોકવાસીને યે.
નૃત્યદાસી: આચાર્યનો તો અસ્ત થયો.
- સૌન્દર્ય ઉડતાં આશકો ઉડી જાય,
- એમ વિખરાયું વામીમંડળ
- દેશદેશનાં વિલાસભવનોમાં.
- પાપપુણ્યના કણ એવા છે કે
- વેરાય ત્ય્હાં ત્ય્હાં ઉગે.
તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं
- तीर्थक्षेत्रे विनष्यति.
- પધારો, યજમાનરાણીજી !
- શું આપનું કાન્તિમંડળ !
- જાણે પશ્ચિમનો ચન્દ્રમા !
નૃત્યદાસી:ગુરુ ! આ કોનું મન્દિર ?
- આપ પૂજારી હશો.
તીર્થગોર: આ પાપમન્દિર છે ગંગાતટનું,
- ને હું પાપમંદિરનો પૂજારી છું.