આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
જયા-જયન્ત
બ્રહ્મચારી : કંઈક ઝાંખી થઈ, મહાત્મા !
જયન્ત : એવો યુગે આવશે અવનીમાં
- કે મહાત્માઓનાં મહાજીવનને
- કેવળ કવિતા માનશે માનવી.
- અધૂરા આત્માના વામનજીઓ
- માપશે પોતાની ઉંચાઈએ
- મહાવીરોના વિરાટશરીર.
- આપણી દૃષ્ટિ છે
- એટલું જ કાંઈ આભ ઉંચું નથી.
- પધારો રાજેન્દ્ર ! વિરાજો મૃગચર્મે.
- કલ્યાણ થાવ સહુનું,
- તીર્થરાજ ! કાંઈ વાર લાગી આજે?
પરિજનમાંથી એક : સ્નેહયાત્રાનો શ્રમ હતો, દિલમાં ને દેહે ય તે.
- સ્નેહને આણે પધાર્યા હતા રાજેન્દ્ર.
જયન્ત : સ્નેહના શ્રમ સહુના ફળજો !
- સિધાવો, મા રોકાવ આજ
- સ્નેહીની સેવા કરો;