આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
જયા-જયન્ત
- એ ગીતાજીનું વ્યાસવચન.
- એ વચનોનો સમન્વય સ્હમઝાવશો?
જયન્ત : સન્ધ્યાકાલે આવજે, પુત્ર !
- સિદ્ધોના સમાધિઆરે
- વૃદ્ધ યોગીન્દ્ર સ્હમજાવશે સહુ.
- અત્ય્હારે સ્નાનનો સમય થયો છે.
- 'બ્રહ્મર્ષિની આજ્ઞા છે કે
- ડૂબેલાંને યે તારવા.'
- धैर्यं यस्य पिता, क्षमा च जननी, शान्तिश्विरं रोहिनी,
- सत्यं सूनुरथं, दया च भगिनी, भ्राता मनस्संयमः ।
- शय्या भूमितलं दिशोsपि वसनं, ज्ञानामृतं भोजन
- मेते यस्य कुटुंबिनो वद, सखे ! कस्मात भयं योगिनी: "
જયન્ત : મ્હારા જોગીઓને ભય નથી કદા:
- જાવ, ને જીતો જગતને.
એક બ્રહ્મચારી : (આગળ દોડી આવી)
- પિતા ! મધ્યજલમાં ડૂબકીદા ખેલતા હતા,
- ત્ય્હાં એક ડૂબકીમાં આ રત્ન લાધ્યું
- જીવનદોરી નથી તૂટી;
- આશ્રમમાં લાવ્યા છીએ ઉગારવા.