પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
જયા-જયન્ત
 


ગિરિરાજ: ભૂલ આપણી કે બ્રહ્માની ?

જયન્ત જીતીને પધાર્યો;
જયાને હિમગંગામાંથી તારી,
જયાને ય વદનચન્દ્રે ત્ય્હારે
આત્માનો ઉજાસ ઉઘડ્યો;
પણ મ્હેં તે અસ્ત કીધો.

રાજરાણી: નહીં, નાથ ! વાંક મ્હારો છે.

જગતને ઝંખવવું હતું મ્હારે
કે ગિરિદેશની રાજકુમારી તો
તીર્થોના તીર્થરાજની મહારાણી.

ગિરિરાજ: રાણીજી ! કાષ્ટમાં અણદીઠો અગ્નિ છે,

એવી મ્હારે ય ઊંડી વાસના હશે;
ઝીણી, અણઉઘડી, એક કિરણ જેવી;
નહીં તો બળી ને ભસ્મ ન થાત
મ્હારી યે દૃઢતાનો દુર્ગ.

રાજરાણી: રાજવી ! રંક પેઠે કાં રડો ?

બ્રહ્મર્ષિ સહુનો સન્તાપ શમાવે છે.

ગિરિરાજ: રાણીજી ! રાણીજી !

કોણ હોલવશે જીવમાંના જ્વાલામુખી ?
મ્હારા પ્રાણમાં ય પ્રગટ્યો છે
પશ્ચાતાપનો મહાહુતાશ.
પુત્રપુત્રીને બાળ્યાં છે