આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
જયા-જયન્ત
ગિરિરાજ: ભૂલ આપણી કે બ્રહ્માની ?
- જયન્ત જીતીને પધાર્યો;
- જયાને હિમગંગામાંથી તારી,
- જયાને ય વદનચન્દ્રે ત્ય્હારે
- આત્માનો ઉજાસ ઉઘડ્યો;
- પણ મ્હેં તે અસ્ત કીધો.
રાજરાણી: નહીં, નાથ ! વાંક મ્હારો છે.
- જગતને ઝંખવવું હતું મ્હારે
- કે ગિરિદેશની રાજકુમારી તો
- તીર્થોના તીર્થરાજની મહારાણી.
ગિરિરાજ: રાણીજી ! કાષ્ટમાં અણદીઠો અગ્નિ છે,
- એવી મ્હારે ય ઊંડી વાસના હશે;
- ઝીણી, અણઉઘડી, એક કિરણ જેવી;
- નહીં તો બળી ને ભસ્મ ન થાત
- મ્હારી યે દૃઢતાનો દુર્ગ.
રાજરાણી: રાજવી ! રંક પેઠે કાં રડો ?
- બ્રહ્મર્ષિ સહુનો સન્તાપ શમાવે છે.
ગિરિરાજ: રાણીજી ! રાણીજી !
- કોણ હોલવશે જીવમાંના જ્વાલામુખી ?
- મ્હારા પ્રાણમાં ય પ્રગટ્યો છે
- પશ્ચાતાપનો મહાહુતાશ.
- પુત્રપુત્રીને બાળ્યાં છે