આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
જયા-જયન્ત
- એમ હું હવિ થઈ બળીશ,
- ત્હો યે કર્યા ન ક્યાં નહીં થાય.
- ચૂક્યો રાણી ! હું ચૂક્યો
- મ્હારો રાજધર્મ, મ્હારો પિતૃધર્મ.
રાજરાણી: ત્હમે જ બોધતા હતા ને
- કે કાશી તો છે વિસામો
- દુનિયાનાં દાઝેલાંઓનો ?
- આપણને જ નહીં મળે એ
- અન્તરના આરામ અહીં ?
ગિરિરાજ: રાણીજી ! રથનાભીમાં આરાઓ,
- એમ એકઠા થાય છે અંહી,
- મુક્તિપુરીના ધર્મચોકમાં,
- સહુ નગરીઓના રાજમાર્ગ.
- જેવાં નદીઓનાં સહુ પાણી
- સાગરમાં સમાધિ પામે છે-
રાજરાણી: રાજવી ! એવું કહેતા હતા ને
- કે ધવલગિરિમાંથી અનેક ગંગાઓ,
- એમ તીર્થરાજમાંથી યે ધર્મગંગાઓ
- દશે દિશાઓમાં વહે છે,
- જગત સકલને પાવન કરે છે.
ગિરિરાજ: આર્યાવર્ત એટલે વારાણસી,
- ને વારાણસી એટલે ધર્મનગરી,