પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૯
જયા-જયન્ત
 


મુક્તોની મુક્તિપુરી.
નાડીઓનાં લોહી હૈયામાં વહે,
તે શુદ્ધ થઈ નાડીઓમાં પાછાં ઘૂમે;
વારાણસી હૈયું છે વિશ્વનું,
આવ્યાંને પાવન કરી પાઠવનારૂં.
આપણને ય પાવન કરશે
હરિકુંજના બ્રહ્મજ્યોત તે બ્રહ્મર્ષિ.

રાજરાણી: મ્હારા ઉરમાં ઉગે છે કે

પાપ પ્રજળશે, ને પુણ્ય પાંગરશે,
(ગિરિરાજ ને રાજરાણી હરિકુંજ ભણી જાય છે. બળબળતી નૃત્યદાસી આવે છે.)

દાસી: તારો, તારો, કોઈ ઉગારો,

હરિજન કો ઉદ્ધારો.
બળું છું, સળગું છું સદાની
દેહ અને દેહીની મહાઝાળમાં.
મુખડે ચુંબન દીધાં જ્ય્હાં જ્ય્હાં,
ત્ય્હાં ત્ય્હાં ઉઠે છે અંગારાઓ.
ઉરથી ઉર ચાંપ્યાં,
એ ઉરમાંથી પ્રગટ્યા છે દાવાનળ.
અંગેઅંગ ભીડ્યાં આલીંગનમાં,
ત્ય્હાં ભભૂકે છે ભડકાઓ.
ભમ્મરોમાં ભમરા ડંખે છે,