પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
જયા-જયન્ત
 


જયા : તરછોડ્યું, જયન્ત ! તરછોડ્યું હતું મ્હેં,

ત્હારૂં જયધનુષ્ય ચરણે ધરેલું.
મ્હારે દુઃખે તું યે દૂભાયો.
વાલ્મીકિનો આશ્રમ આઘો નથી;
હું કૌંચી ઘવાઈ એટલે
મ્હારો કૌંચે મૂર્છામાં પડ્યો;
ને રચાઈ એમ આપણી રામાયણ.
(રમતાં રમતાં મોર ને ઢેલ આવે છે.)

જયન્ત : ભૂતકાલ અનાદિ છે,

ભવિષ્યે તેમ અનન્ત છે.
અનુભવ એટલી આશાઓ.
અને હવે? જયા !

જયા : હવે ? હવે જયન્તના આદેશ.

એક વાર ન માન્યાં ફરમાન,
તો વેઠવાં પડ્યાં આટઅટલાં વિતકો.

જયન્ત : જયા ! જો આ મોર ને ઢેલ.

જયા : મ્હાલે છે શ્રાવણનાં સરવડાંમાં.

કલાપીએ ખોલી છે કલા
રંગબેરંગી દેવરત્ને ચમકતી.

જયન્ત : જયા ! એવી કલા આપણે ખોલશું ?

જયા : ત્હારે-મોરને એ કલાપલ્લવ છે;

ઢેલ તો વતવી છે - હું જેવી.