પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫
જયા-જયન્ત
 


જયન્ત : મોર આપે ઢેલને

પીંછાંની રત્નપાંદડીઓ તો ?-

જયા : તો ખોલીશ, જયન્ત !

ત્હારા જેવી કલા હું ય તે;
પૃથ્વી ઉપરની જાણે સૂરજમાલા.
(જયા એક આંબાની નીચી ડાળે ચ્હડી બેસે છે.)

જયન્ત : જયા ! સ્હમજ; સ્હેલું નથી એટલું.

જયા : ત્હારા જેવા દેવગુરુ છે, જયન્ત !

તો કાંઈ ભણતર અઘરૂં નથી મ્હારે.

જયન્ત : ચન્દ્રની શોભા ચન્દ્રિકાથી છે,

જયન્તની જ્યોત્સના જયા છે.

જયા : તો હવે ? જયન્ત !

(જયન્ત બીજી આંબા ડાળે ચ્હડી બેસે છે.)

જયન્ત : લગ્ન કે ધર્મ ?

કામ કે સ્નેહ ?
સંસાર કે સેવા ?
એ દ્વંદ્વો ખડાં છે સન્મુખ.
તું નીકળ એકની જોગણ થઈ.
ત્હારી સંગ ઉભો છું
આયુષ્યભર અલખ જગાવવા.