પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧
જયા-જયન્ત
 



પ્રવેશ ચોથો

સ્થલકાલ : કાશીરાજના દરબારમાં સ્‍હવાર

🪷


વેદશાસ્ત્રી કાવ્યરત્ન મન્ત્રીશ્વરો લોકસભા કલાધરોમાં સંગાથે કાશીરાજ પધારે છે. સહુ આશીર્વચન ભણે છે.

સભાજન : લોકલોકની બોલી બોલો

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : ધર્મના પ્રતિપાલનાર્થે

પ્રભુના જયમન્ત્રણાર્થે,

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : જ્ય્હાં સૂધી વહે ગંગ ભૂમી પાવન કરી,

જ્ય્હાં સૂધી ગર્જે મહોદધિ જગ ભરી,
ત્ય્હાં સૂધી તવ અમલ યશ
હો અચલ કાલતરંગમાં;