પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨
જયા-જયન્ત
 


વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : દેવ -માનવ સર્વ બોલો

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : દેશના ઉદ્ધાર કાજે,

લોકના કલ્યાણ કાજે;

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : જ્ય્હાં સૂધી છે નિયમ-ન્યાય સુઉજ્જવળા,

જ્ય્હાં સૂધી છે સૂર્યસોમ પ્રભાવતા,
ત્ય્હાં સૂધી છે તવ અમલ યશ
હો અચલ કાલતરંગમાં :

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

કાવ્યરત્ન : કાશીનાં ભાગ્ય પ્રગટ્યાં, રાજેન્દ્ર !

મન્દિરે મન્દિરે મંગલ છે,
યુવરાજના જન્મોત્સવનો
આનન્દાનધિ ઉછળે છે.

કાશીરાજ : મ્હારા પુણ્યશાળી પ્રજાજન !

ત્‍હમારા પુણ્યે પ્રગટ્યા છે કુમાર.

એક મહાજન : રાજેન્દ્રના જ સદ્ધર્મનું એ ફૂલ.

પુત્રની પેઠે પ્રજાસંઘને