પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૯
જયા-જયન્ત
 


કાશીરાજ : પ્રભુએ પ્રતિજ્ઞા પાળી મ્હારી.

જયા કુમારી માતાઓની માતા થઇ -
સમસ્ત આર્યકુટુંબની આર્યમાતા.
દેવિ ! ચાલો દર્શને એ બ્રહ્મચારિણીનાં.
બ્રહ્મર્ષિ ! દર્શન કરાવો
એ બ્રહ્મબાલાનાં.

બ્રહ્મર્ષિ : નૈષ્ટિક બ્રહ્મચર્યનાં દર્શન

તે બ્રહ્મદર્શન જ છે.
બ્રહ્મર્ષિ, કાશીરાજ, રાજમહીષિ, યુવરાજતેડ્યા પરિજનો સાથે સિધાવે છે.

મન્ત્રીશ્વર : હરિકુંજ ને બ્રહ્મવનનાં બે ચરણો ઉપર

ઉભશે વારાણસીનો ધર્મદેહ.

વેદશાસ્ત્રી : પુણ્યવન્તાંનાં પુણ્યે જ ઝીલે છે

પૃથ્વીનો ભાર શેષ નાગ.

કાવ્યરત્ન : પુણ્યવન્તાંનાં પુણ્યે જ કરી

પુણ્યવન્તી છે ભાગીરથી.

એક મહાજન : તીર્થના આત્મા છે મહાત્માઓ.

મન્ત્રીશ્વર : તીર્થોના તીર્થરાજ છે

સૃષ્ટિમાંનાં સાધુજનો.