પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧
જયા-જયન્ત
 


મેનકા : ઉર્વશી ! દેવપતિએ આજ્ઞા કરી છે

તે ઉપવન તો આ જ ને ?

ઉર્વશી : સુરલોકમાં ઉત્સવ પાળ્યો,

ને દેવરાણીજીએ ફરમાવ્યું છે કે
ગંગાતીરે બ્રહ્મવનમાં લગ્નોત્સવ છે;
ત્ય્હાં જાવ, ને મંગલ ગાવ.
જૂવો, બ્રહ્મકુમારિકાઓ પ્‍હણે
સાથિયા પૂરે, વેદી માંડે છે.
બ્રહ્મકુમારીઓ પાસે જઇને
જય હો પૃથ્વીનાં પુણ્યશાળીઓનો.
બ્રહ્મબાલાઓ ! આજ અહીં લગ્નોત્સવ છે
જગજ્જેતા જયન્ત કુમારનો ?

એક બ્રહ્મચારિણી : પધારો, સ્વર્ગ માંડો પૃથ્વીમાં.

આજ અહીં ઉત્સવ છે.
જગજ્જયિની જયા કુમારી
આશ્રમ માંડે છે આ વનમાં
પૃથ્વીની બ્રહ્મચારિણીને કાજ.

મેનકા : (ઉર્વશીને)

જુઠ્ઠું તો દેવી ન ભાખે.
(વિચારમાં પડે છે.)

રંભા : બ્રહ્મવન તો આ જ.

(સહુ અપ્સરાઓ વિચારમાં પડે છે.)