આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
જયા-જયન્ત
- બ્રહ્મર્ષિએ સત્સંગથી સજીવન કીધી.
- જગત જીતી, ને જીતાડીશ સહુ ને.
- પિતામાતા ! જીવન મ્હારૂં સફલ થયું.
રાજરાણી : માગી ત્યારે જ અર્પી હોત
- એ મહાત્માને મ્હારી મીઠડી,
- તો ન ઉગત દુઃખનાં ઝાડ
- ત્હારે, એમને, કે અમારે માથે.
- વિધિનાં વાવ્યાં હશે,
- હાથે અમે જલ સીંચ્યાં,
- ને પીરસ્યાં સહુને એ ફાલ.
જયન્ત : રાજમાતા ! કુમારીને ન પરણાવી
- એ જ ત્હમારા પરમ આશીર્વાદ.
- નામ માત્ર જયન્ત હતો
- હું પૂર્વાશ્રમમાં.
- દેશવટો વેઠ્યો; જગત જીત્યો;
- તપસુદ્ધિથી વિશુદ્ધ થયો.
- આજ છું તે ત્ય્હારે ન હતો;
- ને તેથી આજ પામું છું
- તે ત્ય્હારે ન પામ્યો.
ગિરિરાજ : સ્નેહનાં ઝરણ આડી પાળ બાંધી
- નથી સુખી થતાં માતાપિતા,
- કે નથી સુખી કરતાં સન્તાનોને.
- સુણજો, એ સજ્જનો જગતના !