પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
જયા-જયન્ત
 


બ્રહ્મર્ષિએ સત્સંગથી સજીવન કીધી.
જગત જીતી, ને જીતાડીશ સહુ ને.
પિતામાતા ! જીવન મ્હારૂં સફલ થયું.

રાજરાણી : માગી ત્યારે જ અર્પી હોત

એ મહાત્માને મ્હારી મીઠડી,
તો ન ઉગત દુઃખનાં ઝાડ
ત્‍હારે, એમને, કે અમારે માથે.
વિધિનાં વાવ્યાં હશે,
હાથે અમે જલ સીંચ્યાં,
ને પીરસ્યાં સહુને એ ફાલ.

જયન્ત : રાજમાતા ! કુમારીને ન પરણાવી

એ જ ત્‍હમારા પરમ આશીર્વાદ.
નામ માત્ર જયન્ત હતો
હું પૂર્વાશ્રમમાં.
દેશવટો વેઠ્યો; જગત જીત્યો;
તપસુદ્ધિથી વિશુદ્ધ થયો.
આજ છું તે ત્ય્હારે ન હતો;
ને તેથી આજ પામું છું
તે ત્ય્હારે ન પામ્યો.

ગિરિરાજ : સ્નેહનાં ઝરણ આડી પાળ બાંધી

નથી સુખી થતાં માતાપિતા,
કે નથી સુખી કરતાં સન્તાનોને.
સુણજો, એ સજ્જનો જગતના !