પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬
જયા-જયન્ત
 


સિધાવો, ને પાઠવજો અમ કાજે
ગંગોત્રીનાં પુણ્યોદક સદા.
ત્‍હમારે દાને અમારી તરશ છીપશે.
જયા અને જયન્ત જેવાં
જન્માવજો જગજ્જેતા દેવસન્તાન,
ને મોકલજો અંહી
વારાણસીનાં મન્દિરો ઉદ્ધારવા.

ગિરિરાજ : રાજેન્દ્ર ! શકુન્તલાના કુમાર ભરતે

દીધું નામ આર્યાવર્તને,
અને ત્‍હમે ધર્યું છે જ્ઞાનછત્ર
આ દેવભોમને માથે.
ત્‍હમારૂં કર્યું નવ થાય કોઇથી.
સિન્ધુ નદને તીરે તક્ષશિલા,
ને ગંગા નદને તીરે કાશીના મઠ.
જ્ઞાનક્ષેત્ર માંડ્યું છે મહીતલમાં,
ઓ તીર્થરાજના રાજવી ! ત્‍હમે.

જયન્ત : મુહૂર્તનો સમય થતો આવે છે;

પધારો હરિજન સહુ વટકુંજમાં.
(વિશ્વયાત્રા કરતા દેવર્ષિ પધારે છે.)

દેવર્ષિ : આજ બ્રહ્મવનનાં તીર્થ કરીશ.

(ચોમેર નજર કરી)