આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬
જયા-જયન્ત
- સિધાવો, ને પાઠવજો અમ કાજે
- ગંગોત્રીનાં પુણ્યોદક સદા.
- ત્હમારે દાને અમારી તરશ છીપશે.
- જયા અને જયન્ત જેવાં
- જન્માવજો જગજ્જેતા દેવસન્તાન,
- ને મોકલજો અંહી
- વારાણસીનાં મન્દિરો ઉદ્ધારવા.
ગિરિરાજ : રાજેન્દ્ર ! શકુન્તલાના કુમાર ભરતે
- દીધું નામ આર્યાવર્તને,
- અને ત્હમે ધર્યું છે જ્ઞાનછત્ર
- આ દેવભોમને માથે.
- ત્હમારૂં કર્યું નવ થાય કોઇથી.
- સિન્ધુ નદને તીરે તક્ષશિલા,
- ને ગંગા નદને તીરે કાશીના મઠ.
- જ્ઞાનક્ષેત્ર માંડ્યું છે મહીતલમાં,
- ઓ તીર્થરાજના રાજવી ! ત્હમે.
જયન્ત : મુહૂર્તનો સમય થતો આવે છે;
- પધારો હરિજન સહુ વટકુંજમાં.
- (વિશ્વયાત્રા કરતા દેવર્ષિ પધારે છે.)
દેવર્ષિ : આજ બ્રહ્મવનનાં તીર્થ કરીશ.