પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭
જયા-જયન્ત
 


અહો ! આ તો જયા ને જયન્ત !
મ્હારાં આત્મસન્તાનો !
(જયા અને જયન્ત દેવર્ષિને ઓળખી ત્‍હેમની ભણી દોડી જઈ પાયે લાગે છે. સહુ નમન નમે છે.)
કલ્યાણ થાવ સહુનું.
આજ શો ઉત્સવ - અહા! સ્‍હમજ્યો.
જયા જગત જીતી,
ને જગજ્જયિની બ્રહ્મચારિણીઓ કાજે
બાંધે છે બ્રહ્મમઠ આ બ્રહ્મવનમાં.

ગિરિરાજ : આપનું વેણ ઉથાપવા મથ્યું અમે;

પણ વિધિ યે ન ઉથાપી શક્યો
બ્રહ્મમૂર્તિનું એ બ્રહ્મવાક્ય.
જયાની દેહ ન વટલાઇ.

રાજરાણી : જયન્તને ન પરણાવી,

તો જોગણ થઈ મ્હારી કુમારી.

દેવર્ષિ : द्वा सुपर्णा सयुजा सूखाया

समानं वृक्षं परिपस्वजाते,
એ મન્ત્ર આજ સિદ્ધ થયો.
બે કાંઠે બે આશ્રમ,
પૃથ્વીને પાળતી બે પ્રભુપાંખો જેવા;
ને વચમાં પુણ્યજલવન્તી જાહ્‍નવીઃ
બે હાથ વચ્ચે જગતનું જાણે હૈયું.