પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮
જયા-જયન્ત
 


ઉઘડશે હવે વિરાટનાં મન્દિર
અવનીનાં અભાગિયાને માટે પણ.
રાજમાતા ! ઋતુએ ફળ પાકે છે.
ન સોંપી તે કાળે જયન્તને;
હવે જીવનશેષ ઉછરશે
એક જ વૃક્ષે એ બે પંખી.
જીત્યાં ને જીતાડશે સહુને.
(અપ્સરાવૃન્દ પ્રત્યક્ષ થાય છે.)

મેનકા : જય જગતનાં દેવલોકનો.

સુરલોકની અમે અપ્સરાઓ છીએ.
સુરપતિએ પાઠવ્યાં છે મને, દેવર્ષિજી !
આજના લગ્નમહોત્સવમાં મંગલ ગાવા.

દેવર્ષિ : પધારો દેવપગલે.

સુરપતિ સંસારની સંભાળ લે છે.
સંસારનાં ત્ય્હાં સૂધી સદભાગ્ય છે.
ગાવ બ્રહ્મબંસરીનું મંગલ ગીત.

મહીષિ : (કાશીરાજને)

આર્ય ! લગ્નમહોત્સવ છે આજે ?
(અપ્સરાઓ બ્રહ્મબંસરીનું મંગલ ગીત ગાય છે.)

અપ્સરાઓ : પરમ શબ્દ એ સુણો,

હો ! પરમ શબ્દ એ સુણો,