પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૧
જયા-જયન્ત
 


રાજરાણી : કુંવરી તો મ્હારી લોકમાતા થઈ !

સિંહાસનને પરણવા કરતાં મઠ માંડવો
-આવડે તો તો - સો ગણો સારો.
(નૃત્યદાસી ગાતી ગાતી આવે છે.)

નૃત્યદાસી : જોગીડા ! વસમી આ વનની વાટ.

વસમી-વસમી-
વસમી આ વનની વાટઃ
જોગીડા ! વસમી આ વનની વાટ.
નથી વડલા કે વિસામા વનમાં;
નથી નદીઓને ઘાટઃ
જોગીડા ! વસમી આ વનની વાટ.
આથમે દિન, પણ કદી યે ન આથમે
અન્તર કેરા ઉચાટઃ
જોગીડા ! વસમી આ વનની વાટ.

જયા : ત્‍હારાં તપ નિષ્ફળ નહી જાય, તાપસી !

ત્‍હને પરમ વિસામો સાંપડશે.

નૃત્યદાસી : યોગિની ! અહીયાં યે

અપ્સરાઓ તો નાચે છે.

દેવર્ષિ : વસ્તુ પાપ નથી, તપસ્વિનિ !

વસ્તુની વાસનામાં પાપ છે.
વિલાસ અનિષ્ટ નથી;
વિલાસની તૄષ્ણા અનિષ્ટ છે.
વિલાસભાવના સંયમનિગ્રહ