પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
જયા-જયન્ત
 


તે સંસારીઓનાં બ્રહ્મચર્ય.
સકામનિષ્કામના ભેદ ભણજે હવે,
એટલે સર્વ સ્‍હમજાશે.
વાંછવું, ને મળ્યું માણવું
એ ભાવ એક નથી કદ્દી યે.
જનક વિદેહી વૈભવ વહતા,
તે વૈભવને યે વિશુદ્ધિથી રંગતા.

જયા : બ્રહ્મર્ષીજી ! દેવર્ષિજી ! આદેશ

દેવર્ષિ : જયા ! આજ સૂધીની અવધ

એળે નથી ગઇ ત્‍હારા જીવનની.
આવ, વત્સે ! ઓઢ આ તેજ ઓઢણી.
એવી જ રહેજે ઉજ્જવળ
કર્મ વચન ને ભાવથી સર્વદા.
અન્તર જેવું ઓઢણું રાખજે,
ને ઓઢણા જેવું અન્તર;

મહીષિ : (કાશીરાજને)

આર્ય ! એ કેમ સંભવે ?
હીરા ને મોતી ભર્યાં મ્હારાં અમ્મર;
કેવાં અન્તરનાં રત્નઅમ્મર
ક્ય્હાં મૂલવવાં મ્હારે ?

જયા : દેવર્ષિના આશીર્વાદથી,

બ્રહ્મર્ષિના શિક્ષામન્ત્રોથી,
બ્રહ્મદીક્ષા મ્હારી સફળ કરીશ;
બ્રહ્મ માંડીશ બ્રહ્માંડને પાટલે.