આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
જયા-જયન્ત
- તે સંસારીઓનાં બ્રહ્મચર્ય.
- સકામનિષ્કામના ભેદ ભણજે હવે,
- એટલે સર્વ સ્હમજાશે.
- વાંછવું, ને મળ્યું માણવું
- એ ભાવ એક નથી કદ્દી યે.
- જનક વિદેહી વૈભવ વહતા,
- તે વૈભવને યે વિશુદ્ધિથી રંગતા.
જયા : બ્રહ્મર્ષીજી ! દેવર્ષિજી ! આદેશ
દેવર્ષિ : જયા ! આજ સૂધીની અવધ
- એળે નથી ગઇ ત્હારા જીવનની.
- આવ, વત્સે ! ઓઢ આ તેજ ઓઢણી.
- એવી જ રહેજે ઉજ્જવળ
- કર્મ વચન ને ભાવથી સર્વદા.
- અન્તર જેવું ઓઢણું રાખજે,
- ને ઓઢણા જેવું અન્તર;
મહીષિ : (કાશીરાજને)
- આર્ય ! એ કેમ સંભવે ?
- હીરા ને મોતી ભર્યાં મ્હારાં અમ્મર;
- કેવાં અન્તરનાં રત્નઅમ્મર
- ક્ય્હાં મૂલવવાં મ્હારે ?
જયા : દેવર્ષિના આશીર્વાદથી,
- બ્રહ્મર્ષિના શિક્ષામન્ત્રોથી,
- બ્રહ્મદીક્ષા મ્હારી સફળ કરીશ;
- બ્રહ્મ માંડીશ બ્રહ્માંડને પાટલે.