પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પ્રવેશ બીજો

સ્થલકાલ:ગિરિદેશના રણવાસમાં બપ્પોર

<poem>

રાજરાણી: નહીં, રાજેન્દ્ર ! કદ્દી નહીં.

ગિરિરાજ: રાણીજી ! એ તો બ્રહ્માક્ષર.

રાજરાણી: બ્રહ્માક્ષરે ત્ય્હારે ભૂંસીશ હું.

ગિરિરાજ: નહીં ઉથાપાય કોઇથી યે

એ રાજવેણ ને પ્રજાવેણ

રાજરાણી: રાજરાણી ઉથાપશે એ રાજવેણ.

ગિરિરાજ: જયન્તના જયને શોભે છે,

આપ્તજનોના અન્તરમાં ઉગે છે,
મન્ત્રાશ્વરો પ્રમાણે છે