પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
જયા-જયન્ત
 


સારા સંસારને પૂછો; રાજવી !
પુત્ર પિતાના, પુત્રી માતાની.

ગિરિરાજ: રાણીજી ! વાણી વેરાઈ જશે.

ગિરિદેશનો ગિરિરાજ
રણવાસમાં મહારાણો નથી,
રાજમહેલમાં રાજવી નથી,
એ અનુભવું છું આજે.

રાજરાણી: ગિરિદેશમાં રાણાજીનાં રાજ્ય,

પણ રણવાસમાં તો રાણીજીનાં, હો!

ગિરિરાજ: જયન્તે દિગ્વિજય કીધો -

રાજરાણી: ના. નથી જીત્યું મ્હારૂં દિલ કુમારે.

ગિરિરાજ: ત્ય્હારે ક્ય્હાંના ન્હોતરશો ઓજણાં

એ તમ કુંવરીબાને કાજ?
જયન્તની જોડ છે જગતમાં?

રાજરાણી: સારૂં જગત મોહ્યું છે જયા ઉપર તો.

આવે છે ખંડખંડમાંથી માગાં.
ધરાવીશ જયાની લગ્નમાલા
આર્યચક્રચૂડામણિ કાશીરાજવીને-

ગિરિરાજ: રાણી પાળશે કાશીપતિ

રામવ્રતની આપણી કુલમર્યાદ?