પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
જયા-જયન્ત
 


રાજરાણી: પુણ્યવંતા સહુ યે તે પાળશે.

-ને દશરથવ્રતે ક્‌ય્હાં દાનવનાં છે જે?
શિકારે સિધાવો છો, રાજેન્દ્ર !
ત્ય્હાં ભાળ્યાં ક્ય્હાંઈ
હરિણીહરિણીના કુરંગરાજ?
એક રાજસિંહાસનને
ચાર પાયા હોય સુવર્ણના.

ગિરિરાજ: પણ મુગટ તો એક જ.

કુલના વ્રત વિસારશો,
લોકસભાનાં રાજવેણ લોપશો,
સ્વામીના યે આદેશ ઉથાપશો,
શી સાધશો એથી સિદ્ધિ ?

રાજરાણી: સાધીશ એક જ મહાન સિદ્ધિ:

જયા થશે આર્યકુટુંબની મહાદેવી

ગિરિરાજ: પણ સ્મરણે છે, રાણીજી!

દેવર્ષિની ભવિષ્યવાણી?
'જયાનો દેહ નહીં વટલાય.
જયા બ્રહ્મચારિણી રહેશે.'

રાજરાણી: નથી ભૂલી, રાજેન્દ્ર !

જન્માક્ષરમાંના ગ્રહભાવ કે નક્ષત્રલેખ.
મહાત્માનું મહાવાક્ય છે કે
'જયા હૃદયરાણી થશે
રાજરાજેન્દ્રોના યે રાજેશ્વરની.'