આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
જયા-જયન્ત
રાજરાણી: પુણ્યવંતા સહુ યે તે પાળશે.
- -ને દશરથવ્રતે ક્ય્હાં દાનવનાં છે જે?
- શિકારે સિધાવો છો, રાજેન્દ્ર !
- ત્ય્હાં ભાળ્યાં ક્ય્હાંઈ
- હરિણીહરિણીના કુરંગરાજ?
- એક રાજસિંહાસનને
- ચાર પાયા હોય સુવર્ણના.
ગિરિરાજ: પણ મુગટ તો એક જ.
- કુલના વ્રત વિસારશો,
- લોકસભાનાં રાજવેણ લોપશો,
- સ્વામીના યે આદેશ ઉથાપશો,
- શી સાધશો એથી સિદ્ધિ ?
રાજરાણી: સાધીશ એક જ મહાન સિદ્ધિ:
- જયા થશે આર્યકુટુંબની મહાદેવી
ગિરિરાજ: પણ સ્મરણે છે, રાણીજી!
- દેવર્ષિની ભવિષ્યવાણી?
- 'જયાનો દેહ નહીં વટલાય.
- જયા બ્રહ્મચારિણી રહેશે.'
રાજરાણી: નથી ભૂલી, રાજેન્દ્ર !
- જન્માક્ષરમાંના ગ્રહભાવ કે નક્ષત્રલેખ.
- મહાત્માનું મહાવાક્ય છે કે
- 'જયા હૃદયરાણી થશે
- રાજરાજેન્દ્રોના યે રાજેશ્વરની.'