પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
જયા-જયન્ત
 


ઉત્તર આપો, ઓ ગેબના ગુંબજ !
જીંદગી એટલે શ્રેય કે પ્રેય?

(વળી વિચારમાં પડે છે.)

તે દિવસે હિમગંગા ઉતરી.
દેવગિરિનું શિખર ડોલ્યું.
ગગનના સ્તંભ સમોવડ
દેવદારુના વૃક્ષરાજ પાડ્યાં ઉખાડ્યાં;
વનેવન ખીણેખીણ ને ગુફાગુફામાં,
મેઘદુંદુભીના મહાશબ્દ સરિખડી
ધ્વનિ અને પ્રતિધ્વનિની ગર્જન પરંપરા
ગજાવી જગતને જગાડ્યું.
અમૃતના હાથે ઉગારી લીધી કુમારે
એ વમળધોધના મૃત્યુમુખમાંથી મ્હને.
જગત્‌વાસીનું જીવન એટલે
હિમગંગાના મહાપટમાં રમવું

(વળી વિચારે છે.)

દેવર્ષિજીએ દાખવ્યું છે કે
સાધુઓને તો શ્રેય તે પ્રેય,
ને પ્રેય તે જ પરમ શ્રેય:
પુણ્ય તે જ નિત્યસુખ,