આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
જયા-જયન્ત
- ને સુખ તે જ સદ્ધર્મ.
- દેહ ને દેહી ઉભયને ઉદ્વારે
- એ જ યોગીરાજ જીવનમુક્ત.
- કલોદધિના તરંગો ઉપર
- જીંદગી એટલે કલ્યાણયાત્રા.
(રાજકુમારીના શણગાર સજી ચોકમાં નૃત્યદાસી આવી છે.)
નૃત્યદાસી : કાલ કોણે દીઠી છે?
- સાચો છે આજનો જ મહિમા.
- આથમે છે તે ઉગવાને માટે?
- આથમેલાં કેટકેટલાં ઉગ્યાં!
- ઉગવાં હોય તો આથમે કેમ?
- તપે છે એટલાં જ અજવાળાં.
- અરેરે ! એટલા રસખેલ કાજે
- દીક્ષાભ્રષ્ટ કીધા મ્હારા યોગીન્દ્રને.-
- આજે જન્મોત્સવ છે જયાબાનો.
- ઉતાર્યા શોભાના રાજશણગાર,
- ને શણગારી દાસીઓની દેહને.
- ઓઢ્યો ઓઇતે યોગનો અંચળો,
- ને જગાવી એકજ્યોત યોગજ્વાળા.
- એવાં આવ્યાંના અનાદર