પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
જયા-જયન્ત
 


ને સુખ તે જ સદ્ધર્મ.
દેહ ને દેહી ઉભયને ઉદ્વારે
એ જ યોગીરાજ જીવનમુક્ત.
કલોદધિના તરંગો ઉપર
જીંદગી એટલે કલ્યાણયાત્રા.

(રાજકુમારીના શણગાર સજી ચોકમાં નૃત્યદાસી આવી છે.)

નૃત્યદાસી : કાલ કોણે દીઠી છે?

સાચો છે આજનો જ મહિમા.
આથમે છે તે ઉગવાને માટે?
આથમેલાં કેટકેટલાં ઉગ્યાં!
ઉગવાં હોય તો આથમે કેમ?
તપે છે એટલાં જ અજવાળાં.
અરેરે ! એટલા રસખેલ કાજે
દીક્ષાભ્રષ્ટ કીધા મ્હારા યોગીન્દ્રને.-
આજે જન્મોત્સવ છે જયાબાનો.
ઉતાર્યા શોભાના રાજશણગાર,
ને શણગારી દાસીઓની દેહને.
ઓઢ્યો ઓઇતે યોગનો અંચળો,
ને જગાવી એકજ્યોત યોગજ્વાળા.
એવાં આવ્યાંના અનાદર