આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
જયા-જયન્ત
નૃત્યદાસી : આત્માને માણવાની છે અનન્તતા,
- દેહને માણવાની છે અવધો.
- આત્મા અમ્મર છે, જયાબા !
- માટે જ પછી:
- દેહ નશ્વર છે, જયાબા?
- માટે જ પહેલો.
- મૃત્યુ પછી ક્ય્હાંથી માણીશું દેહને?
જયા : રાજકુમારીના શણગાર સજ્યે જ
- ન થવાય રાજકુમારી.
- રાજહૃદયની કુમારિકા
- એ જ છે જગતમાં રાજકુમારી.
- ત્યાગજે આજથી ગિરિરાજના રાજભવન.
- મ્હારા તો રાજમહેલો યે છે
- યોગના આશ્રમ સરિખડા.
- જા; મા અભડાવતી દેવગિરિને
- ત્હારા શ્વાસોશ્વાસથી યે.
નૃત્યદાસી : પૃથ્વી વિશાળ પાથરે છે પટ પોતાનો,
- રાજકુમારી ! ત્હમારે ને મ્હારે કાજ.
(નૃત્યદાસી ખીણોમાં ઉતરે છે. જયા કુમારી વળી વિચારવમળે ચ્હડે છે.)
જયા : જીંદગી એટલે શું ?