પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭
જયા-જયન્ત
 


(મનોજ અદૃશ્ય થાય છે. થોડીવારે જયા અને જયન્ત બન્ને એક એક પંખી ઝાલે છે.)

જયા : ઝાલ્યો, જયન્ત ! ઝાલ્યો હો;

ચાંચે ન વાગી, ને ઝાલ્યો
(બન્ને મળે છે.)
જયન્ત ! ઝાલ્યો મ્હેં તો રાજહંસ
કરવેલડીના પિંજરામાં.

જયન્ત : ને પૂરી છે મ્હેં યે રાજહંસી;

હુંફ દે છે તે હૈયામાં.
જયા ! હંસે ઝલાય,
ને હંસી યે ઝલાય - આવડે તો.
પૂરાય બન્ને યે પાંજરે.

જયા : પણ કેવું ઉજળું ને કુમળું !

ચાંદનીનું જ જાણે ઘડેલું શરીર.

જયન્ત : મોતીનો છે ચારો, જયા ?

એટલે ચન્દ્રિકાની જ દેહ.

જયા : પુણ્યની વાડીઓમાં વસે,

તો માન્વીનાં યે ઉઘડતાં હશે
આવાં જ પુણ્યસ્વરૂપ ને?

જયન્ત : અલબત, જયા ! એમ જ.

પુણ્યશાળીની પુણ્યમુદ્રા,
ને પાપભક્ષીની પાપમૂર્તિઓ.