પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
જયા-જયન્ત
 


જયા : કમળપંદડીની કુમાશ છે

એમની પીચ્છકલામાં
ને જયન્ત ! જોઇ ને
એમની અમૃતભરી આંખલડી ?

જયન્ત : એ અમૃતની આંખે જ

ઓળખે છે નીર ને ક્ષીર;
ને કરે છે જૂદાં એમને,
વિષ ને અમૃત જેવાં.
માન સરોવરનાં નિર્મલ જલનાં વાસી
નિર્મળું નિર્મળું જ નિરખે, જયા !
એમના નયનોમાં જ નિર્મળી.

જયા : એવા મહર્ષિ સમા પંખીરાજને

પીંજરમાં પૂરવા તે પાપ નથી ?
એક પ્રાસાદમાં પૂરિયે તો
બ્રહ્માંડ કેમ અજવાળશે સૂરજ?
જાવ, ઉડી જાવ, રાજહંસ !
ત્હમારા તેજલોકમાં.
નથી ત્હમારે લાયક.
આ દેહ કે દેહી.
(જયાહંસને ઉડાડી મૂકે છે.)

જયન્ત : હંસ ઉડ્યે હંસી ઝૂરતી ન રખાય,

ને પાપ લાગે પરમાર્થીને પણ.
ન રખાય ઝૂરતી ન રખાય