પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
જયા-જયન્ત
 


શેવતી : આતિથ્ય લઈ આતિથ્ય ન વાળ્યાં

એ પુરાણકીર્તિ દુષ્યન્તરાજ.

કાશીરાજ : એ તો શાપના વિસ્મરણ.

ત્હમારી તો બ્રહ્મભાલે !
આશીર્વાદની સ્મૃતિઓ,
અસ્તિત્વના થાળમાં જડેલી.

શેવતી : તો ત્હમારાં જ છે, રાજેન્દ્ર !

પ્રાણનાં મન્દિર ને દેહના મહેલ
નવલખ તારાઓની સાખે.

કાશીરાજ : બ્રહ્મબાલે ! ઉભો છે વિરાટ

કોટી નયને નિરખતો આપણો કોલ.
કોયલ સાક્ષી, ને ફૂલડાં છે સાક્ષી.
ફૂલડાં ફોરશે ને કોયલ ટહુકશે,
ત્ય્હાં સૂધી આપણે ય બે
ટહુકશું ને ફોરશું
રસની અમૃતકુંજોમાં.
(પરસ્પરને સત્કારે છે.)
ચાલો, ચાલો, સલૂણી  ! રસકુંજમાં.

શેવતી : ચાલો, ચતુર સુજાણ !

કાશીરાજ : ઉગ્યા નયનોમાં ભાણુ;