આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
જયા-જયન્ત
- પ્રણામ કહાવ્યા છે જયા કુમારીએ;
- 'તીર્થરાજ ધર્મપિતા છે મ્હારા,
- જયા એમને નહીં વરે;'
- એમ કહી ગઈ તે શિખરોમાં.
રાજરાણી : જયન્ત ! ઉછેરનો સારો આપ્યો લ્હાવ.
- ત્હારો મન્ત્રીપિતા જીવનમન્ત્ર હતા
- ગિરિદેશના ને ગિરિરાજના.
- મરતાં મ્હને સોંપી ગયા ત્હને.
- મ્હેં હૈયાના અમૃતે ઉછેર્યો, જયન્ત !
- તે આ દિવસ દેખવાને?
- જા, લ્હાવ મારી જયાને.
કાશીરાજ : ગિરિરાજ ! શાં છે આ નાટક ?
- શું આદર્યું છે અપમાન
- નિમન્ત્રેલા આ રાજઅતિથિનું?
- ગંગાના જેટલો છે વિશાલ
- કાશીરાજનો આ બલબાહુ.
- રાજકન્યા નહીં આપો, અપમાનશો,
- તો રાજપાટ લેઈશ, વનવાસી કરીશ.
- રાજકન્યા ક્યહાં?
જયન્ત : વિશાલ હશે બલબાહુ આપનો, રાજેન્દ્ર!
- પણ વજ્રના છે દેવદુર્ગ અમારા.
- ગિરિદેશનાં સન્તાન, રાજવી !
- ઓળખતાં નથી ભયને અમે.