પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
જયા-જયન્ત
 


અવનવો અર્થ કહાડિયે અમે
ત્ય્હારે જ પંડિતોનું પાંડિત્ય.
(દેવીને નમન નમીને મંડળમાં ભળે છે.)

દેવી : આવો, કવિશેખર !

શાં શાં કાવ્યે વધાવશો ઉત્સવને આજ ?

કવિશેખર : રસમંજરીનો મુગટ શૃંગાર રસ;

ને શૃંગારનો આત્મા કામ;
અર્થાત કવિતાનો આત્મા કામ.
મહાકામીને જ હોય મહાક્લ્પના.
(નમન નમી સંઘમાં ભળે છે.)

દેવીઃ પધારો, રાજવી !

વાટનો શ્રમ ચ્‍હડ્યો હશે.

રાજવીઃ શ્રમ તો ક્ષત્રીઓને છે જ નહીં;

ત્‍હેમાં યે સ્વયંવરમાં સાંચરતાં.
સારી પૃથ્વીમાં શોધિયે પરીઓને તો.
(નમી ઉપાસકોમાં જાય છે.)

દેવી : નમસ્કાર, નારાયણમૂર્તિ!

આચાર્યજી હમણાં જ પધારશે.

સંન્યાસી : આજ ઉત્સવ છે ગુરૂની અમાસનો,

ને ઉતરશે કંઇ કંઇ અપ્સરાઓ
આજના ઉત્સવના રંગમંડપે;