આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
જયા-જયન્ત
- અવનવો અર્થ કહાડિયે અમે
- ત્ય્હારે જ પંડિતોનું પાંડિત્ય.
દેવી : આવો, કવિશેખર !
- શાં શાં કાવ્યે વધાવશો ઉત્સવને આજ ?
કવિશેખર : રસમંજરીનો મુગટ શૃંગાર રસ;
- ને શૃંગારનો આત્મા કામ;
- અર્થાત કવિતાનો આત્મા કામ.
- મહાકામીને જ હોય મહાક્લ્પના.
દેવીઃ પધારો, રાજવી !
- વાટનો શ્રમ ચ્હડ્યો હશે.
રાજવીઃ શ્રમ તો ક્ષત્રીઓને છે જ નહીં;
- ત્હેમાં યે સ્વયંવરમાં સાંચરતાં.
- સારી પૃથ્વીમાં શોધિયે પરીઓને તો.
દેવી : નમસ્કાર, નારાયણમૂર્તિ!
- આચાર્યજી હમણાં જ પધારશે.
સંન્યાસી : આજ ઉત્સવ છે ગુરૂની અમાસનો,
- ને ઉતરશે કંઇ કંઇ અપ્સરાઓ
- આજના ઉત્સવના રંગમંડપે;