પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
જયા-જયન્ત
 


આચાર્ય : (વેદમાંથી કામસ્તુતિ ભણે છે.)

कोदात्, कास्माsदात्,
कामोदात्, कामायादात,

कामोदाता, कामः प्रतिगृहीताः

कामै तत्ते.
વેદે ગાઇ છે એમ કામસ્તુતિઃ
તો કામનીંદક તે વેદવિરોધી.
સન્તો ! આજ ઉત્સવ છે
ગુરુની અમાવાસ્યાનો;
માણજો મન્દિરમાં મનભર.
આ રાજકુમારીને દેવી સ્થાપ્યાં
ત્ય્હારથી ઓર જ ખીલી છે
સહુ રતિપુત્રીઓની યે રમણા.
શરીર એ જ છે સાચું;
આત્મા દીઠો હોય તે દાખવે.
महाजनाः येन गताः स पन्थः
ચાર્વાકાદિ મહાજનો ગયા
એ જ આપણો રાજમાર્ગ.

દેવી : સુખ તે મોક્ષઃ

મન્મથ તે જ મહાપ્રભુઃ
ઈચ્છા પૂરવી તે જ સદ્ધર્મ.
મ્હને દેવી સ્થાપી,
તો મ્હારો યે ધર્મ જ છે કે
સહુ સન્તોને દેવી આપવી.