પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
જયા-જયન્ત
 


ન જડ્યો તીર્થનો માર્ગ.
પૃથ્વી પ્રભુની છે,
તો યાત્રાળુ કાં ભૂલાં પડે?
દેવધામ સમા ગિરિરાજ છાંડ્યા;
ભટકું છું પશુઓના મહાવનમાં.
આ ઉદ્યાનમાં દીપાવલિ બળે છે,
મધ્યરાત્રિનો કીધો છે દિવસ.
લાવ, પૂછું ત્ય્હાં.
બતાવશે કો પુણ્યક્ષેત્રનો માર્ગ.
(મન્દિરમાં જાય છે. વામીઓને જોઇ ચમકે છે.)
અરે ! આ કોણ ? પાપનાં પૂતળાં?
(વિચારે છે.)
શ્રી કૃષ્ણનો રાસ હશે.
(વામીઓને)
ભાઇ ! ભૂલ્યાંને માર્ગ દાખવશો?

આચાર્ય : એ જ અમારૂં કર્તવ્ય.

જગત ભૂલ્યું છે એ બધું;
ત્‍હેને દાખવિયે છીએ મહામાર્ગ સુખનો.

દેવી : ભલે પધાર્યાં અમારે મન્દિરિયે.

મ્હારી તારલીઓના સંઘમાં
જાણે ચન્દ્રમા ઉગ્યો આજ.