પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯
જયા-જયન્ત
 


જયા : કોણ ! દાસી ? અહીંની દેવી ?

દેવી : હા, દેવી. જયા કુમારી !

જયા : સ્‍હમજે છે બધું.

આ તો વામીઓનું વન સળગે છે.
અઘોર વનના અન્ધકારમાં
હું કોને હાથ પડી આ ?

દેવી : પરાયાં કોઇને યે નહીં;

તિરસ્કારી હતી તે સાહેલીને.
પધારો મ્હારા સન્તોને દેશ,
ને ઉતારો તમારી સાધુતા.

જયા : વીસર ! તું ગિરિદેશના દેવસન્તોને.

દાસી ! પિછાને છે તું
પુણ્યને કે પાપને ?
ઓળખે છે અનીતિ કે નીતિને ?
સુણ્યા છે શીલ કે સદાચાર ?

વામીઓ : અરે ! દેવી કે દાસી ?

રાજકુમારી કે જગત્ પત્ની ?

આચાર્ય : (વામીઓને)

જાવ સહુ ઉત્સવમંડપમાં;
સ્થાપના કરો કામદેવની;