પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
જયા-જયન્ત
 


કેટકેટલાં મારો છો પોરાઓને?
હવામાંથી એક શ્વાસ લેતાં
કેટકેટલાં સંહારો છો વાયુસન્તાનોને ?
ક્ય્હાં-કિયા શાસ્ત્રમાં છે
પ્રત્યવાય જે પ્રાયશ્ચિત માંસાહારનું ?
હિંસા એ પાપ નથી.
આવો અમારા આશ્રમમાં;
સંન્યસ્તનો નહીં, પણ સુખનો છે.

જયા : (સ્વગત)

એ જ ! એ ને ? એ જ;
ગિરિદેશનો યોગભ્રષ્ટ યોગી
ચાહન
किं न जल्पन्ति मद्यपाः ?
ત્‍હમારી સાથે વાદ શા?
બોલતાં યે જીવ અભડાય.

દેવી : સુરા ? ઓ જયા કુમારી !

સુરા ને સોમ તો છે
બે ઓરમાન ભાઇબ્‍હેન;
એમના વિના યજ્ઞ સંભવે નહીં.
એ પીધે ઉઘડે છે
ત્રીજું લોચન તુરિયાદર્શનનું.
શીખી લ્યો, ઓ રાજકુમારી !